PIB Headquarters
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
प्रविष्टि तिथि:
14 MAY 2019 3:28PM by PIB Ahmedabad
અમદાવાદ, 14-05-2019
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રવર અધિક્ષક – ટપાલ કચેરી, અમદાવાદ શહેર વિભાગ, આકાશવાણી પાસે, અમદાવાદ – 380 009 ખાતે 22-05-2019ના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાક અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે ટપાલ, મનીઓર્ડર, રજિસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આવી ફરિયાદો તારીખ 20-05-2019 સુધીમાં બી. બી. પ્રજાપતિ, પ્રવર અધિક્ષક, પ્રવર અધિક્ષકશ્રીની કચેરી, આકાશવાણી પાસે, આશ્રમરોડ, અમદાવાદ – 380 009ને મોકલવાની રહેશે. તારીખ 20-05-2019 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવાશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.
આ ડાક અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પૂરતી મર્યાદિત રહેશે.
DK/NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1571981)
आगंतुक पटल : 239
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English