PIB Headquarters

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 14 MAY 2019 3:28PM by PIB Ahmedabad

અમદાવાદ, 14-05-2019

 

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રવર અધિક્ષક – ટપાલ કચેરી, અમદાવાદ શહેર વિભાગ, આકાશવાણી પાસે, અમદાવાદ – 380 009 ખાતે 22-05-2019ના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડાક અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે ટપાલ, મનીઓર્ડર, રજિસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 20-05-2019 સુધીમાં બી. બી. પ્રજાપતિ, પ્રવર અધિક્ષક, પ્રવર અધિક્ષકશ્રીની કચેરી, આકાશવાણી પાસે, આશ્રમરોડ, અમદાવાદ – 380 009ને મોકલવાની રહેશે. તારીખ 20-05-2019 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવાશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

આ ડાક અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પૂરતી મર્યાદિત રહેશે.

 

DK/NP/J.Khunt/GP                                                        



(Release ID: 1571981) Visitor Counter : 181


Read this release in: English