વહાણવટા મંત્રાલય
મોટાં બંદરોની કાર્ગો સંચાલન ક્ષમતા વધીને 650 MMT થઈ
શ્રી માંડવિયાએ સાગરમાલા કાર્યક્રમ હેઠળ થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
19 DEC 2018 6:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયાએ સાગરમાળા કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બંદર સંચાલિત વિકાસથી આ ક્ષેત્રનો સંપૂર્ણ વિકાસ થયો છે. મંત્રીએ આજે એક નિવેદનમાં કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં મોટાં બંદરોનાં કાર્ગો સંચાલનની ક્ષમતા વધીને 400 એમટીએ થઈ છે.
દેશમાં બંદર સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવા સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ સાગરમાલા ચાર મુખ્ય ભાગ ધરાવે છેઃ બંદરનું આધુનિકીકરણ, બંદર સંચાલિત ઔદ્યોગિકરણ, બંદરની કનેક્ટિવિટીમાં વધારો અને દરિયાઈ સમુદાયનો વિકાસ. સાગરમાલા માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (એનપીપી) 2015-35 વર્ષ 2016માં જાહેર થઈ હતી. સાગરમાલા કાર્યક્રમનાં બંદર આધુનિકરણ ઘટક હેઠળ બંદર ક્ષેત્રમાં મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ મળી છેઃ
- મુખ્ય બંદરોની કાર્ગો સંચાલન ક્ષમતામાં વધારો:
2013-14 - 800.52 MTPA
2017-18 - 1451.19 MTPA
ક્ષમતામાં વધારો - 650.67 MMT
- મુખ્ય બંદરો દ્વારા ટ્રાફિકનું કુલ સંચાલન:
2013-14 - 555.49 MT
2017-18 - 679.47 MT
ટ્રાફિકમાં વધારો - 123.98 MT
- સરેરાશ ટર્ન એરાઉન્ડ ટાઇમ (ટીએટી)માં ઘટાડો:
2013-14 - 93.60 કલાક
2017-18 - 65.00 કલાક
સમયમાં બચત - 28.60 કલાક
- સરેરાશ શિપ બર્થ દિવસ આઉટપુટમાં વધારો:
2013-14 - 12468 ટન.
2017-18 - 15451 ટન.
આઉટપુટમાં વધારો - 2983 ટન.
- RFID આધારિત ગેટ-ઓટોમેશન સિસ્ટમનો અમલ તમામ મુખ્ય બંદરો પર થાય છે. એનાથી બંદરનાં દરવાજા પર કાર્ગોનો નિકાલ ઝડપથી સક્ષમ બને છે, જેથી સરેરાશ ટર્ન-એરાઉન્ડ ટાઇમમાં ઘટાડો થયો છે.
મંત્રીશ્રીની બાઈટ માટે અહીં ક્લિક કરો
https://youtu.be/NbGoztZuyIA
NP/J.Khunt/RP
(Release ID: 1556709)
Visitor Counter : 202