PIB Headquarters

પ્રકાશન વિભાગ દ્વારા પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન

Posted On: 01 OCT 2018 5:37PM by PIB Ahmedabad

અમદાવાદ, 01-10-2018

માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. પીઆઇબી અમદાવાદ કાર્યાલય ખાતે આયોજિત આ પ્રદર્શનમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકો સહિત ભારતીય વારસો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, બાળ સાહિત્ય પરના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવનાર છે.

પ્રકાશન વિભાગ મહત્વના રાષ્ટ્રીય અને સામાજિક વિષયો પર સમયિક બહાર પાડે છે, જેવા કે યોજના, આજકાલ, કુરુક્ષેત્ર, બાલ ભારતી અને રોજગાર સમાચાર. વર્ષ 2018ના સામયિકો કોલેજો, પુસ્તકાલયો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થઈ શકે છે, આ સમયિકો પણ અહિં ઉપલબ્ધ છે.

પ્રદર્શન-સહ-વેચાણ તા. 1 ઓક્ટોબર, 2018 થી શરૂ થશે જે 10 ઓક્ટોબર, 2018 સુધી ચાલશે. પ્રદર્શન-સહ-વેચાણનું સ્થળ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કાર્યાલય, બીજો માળ, અખંડાનંદ હોલ, ભદ્ર, અમદાવાદ, સમય સવારે 10 વાગ્યા થી સાંજે 05.30 વાગ્યા સુધી.

પુસ્તકો પર ખાસ 10 થી 90 ટકા સુધીનું વળતર આપવામાં આવશે.

NP/J.Khunt/GP                                      ક્રમાંક : 259



(Release ID: 1548109) Visitor Counter : 284