મંત્રીમંડળ
મંત્રીમંડળે નાર્કોટિક્સ, નશીલા દ્રવ્યો, સાઇકોટ્રોપિક પદાર્થો અને પ્રીકર્સર્સની ગેરકાયદેસર હેરફેર અટકાવવા પારસ્પરિક સહકાર માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી
Posted On:
26 SEP 2018 4:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે નાર્કોટિક્સ, નશીલી દવાઓ, સાઇકોટ્રોપિક પદાર્થો અને પ્રીકર્સર્સમાં ગેરકાયદેસર વેપારને અટકાવવા પારસ્પરિક સહકાર પર ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
લાભ:
સમજૂતીકરાર (એમઓયુ) નશીલા દ્રવ્યોની દાણચોરીને અટકાવવા તથા નાર્કોટિક દવાઓ અને સાઇકોટ્રોપિક પદાર્થોનાં નિયમનમાં પારસ્પરિક સહકાર આપવા માટે મદદરૂપ થશે. આ અસરકારક માળખાગત કાર્ય છે, જે ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં પારસ્પરિક જરૂરી સહાય અને સહકાર સાથે સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન કરે છે. એમઓયુ બંને સરકારો વચ્ચે અસરકારક સંસ્થાકીય આદાન-પ્રદાનની સુવિધા આપશે. એક વખત લાગુ થયા પછી આ એમઓયુ આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સની દાણચોરી અટકાવવામાં મદદરૂપ થશે.
(Release ID: 1547373)
Visitor Counter : 113