Ministry of Road Transport & Highways

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સુરત જિલ્લાનાં પ્રવાસે

માંડવી અને સુરત શહેરનાં કાર્યક્રમમાં હાજરી આપશે

Posted On: 15 JUN 2018 3:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ, રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા તા. 16-6-2018ના રોજ સુરત જિલ્લાનાં પ્રવાસે છે. આ દરમિયાન તેઓ સવારે 10 કલાકે માંડવી ખાતે રૂ. 56 કરોડનાં ખર્ચે નેશનલ હાઇવે પર નિર્માણ પામનાર તાપી નદી પરનાં બ્રિજનું ભુમિપુજન કરશે, અને સાંજે 5 વાગ્યે સુરત શહેરમાં એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલદ્વારા આયોજીત એક્સ્પોર્ટ સ્ટાર્ટઅપ, જી.એસ.ટી અને ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટવિષય પર આયોજિત સેમિનારમાં ભારતીય અર્થતંત્ર અને આવનારા સમયની તકો પર વકતવ્ય આપશે. આ કાર્યક્રમ સુરત કૃષિ બજારનાં સેમિનાર હોલમાં યોજાશે.



(Release ID: 1535629) Visitor Counter : 220


Read this release in: Gujarati