પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 7 જૂનના રોજ ભારતીય જનઔષધિ પરિયોજના અને સસ્તા કાર્ડિયાક સ્ટેન્ટ તેમજ ઘુંટણ પ્રત્યારોપણના લાભાર્થિઓ સાથે ‘સંવાદ’ કરશે

Posted On: 06 JUN 2018 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જૂનના રોજ સવારે 09:30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી) અને સસ્તા કાર્ડિયાક સ્ટેન્ટ તેમજ ઘુંટણ પ્રત્યારોપણના લાભાર્થિઓ સાથે વાર્તાલાપ કરશે.

સંવાદનો ઉદ્દેશ એ જાણવાનો છે કે આ પહેલો દરદીઓ અને ખાસ કરીને ગરીબ લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન લઇને આવી છે, તેમજ તેમની પહેલી પ્રતિક્રિયા શું છે.

આ સંપૂર્ણ સંવાદ નમો એપ, યુ ટ્યુબ, ફેસબુક જેવા વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ઉપલબ્ધ થશે.

 

RP



(Release ID: 1534709) Visitor Counter : 106