પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દરેક મતદાતાઓને રાષ્ટ્રીય મતદાર દિવસના અવસર પર પોતાના નામની નોંધણી કરાવવા અને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી

Posted On: 25 JAN 2018 12:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક પાત્રતા ધરાવતા મતદાતાઓને રાષ્ટ્રીય મતદાર દિવસનાં અવસર પર પોતાના નામની નોંધણી કરાવવા અને લોકશાહીને મજબુત બનાવવા માટે મતદાનનાં અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મતદાર દિવસ પર આપ સૌને માટે મારી શુભેચ્છા. ભારતીય ચૂંટણી પંચને શુભેચ્છા, જેની આજના દિવસે સ્થાપના થઇ હતી.

હું દરેક પાત્ર મતદાતાઓ, ખાસ કરીને યુવાઓને આગ્રહ કરું છું કે તેઓ પોતાની નોંધણી કરાવે અને તેમની ભાગીદારી સાથે લોકતંત્રને મજબૂત બનાવે. એક મતમાં અપાર શક્તિ રહેલી છે.



(Release ID: 1517776) Visitor Counter : 140


Read this release in: English