પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રવાસી સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું.

Posted On: 09 JAN 2018 3:26PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-01-2018

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રવાસી સાંસદ સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ સંમેલનમાં પ્રતિનિધિઓને આવકારતાં કહ્યું હતું કે, ઘણાં લોકો છેલ્લા ઘણા વર્ષોમાં ભારત છોડીને દુનિયાનાં વિવિધ દેશોમાં સ્થાયી થયા છે, પરંતુ ભારતે તેમનાં મન અને હૃદયમાં તેમની માતૃભૂમિ તરીકેનું આદરયુક્ત સ્થાન જાળવી રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય મૂળનાં લોકો દુનિયાનાં વિવિધ દેશોમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે એ કોઈ નવાઈ પામવા જેવી વાત નથી. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે તેમનાં જીવનમાં ભારતીયતાને જીવંત રાખવાની સાથોસાથ એ દેશોની ભાષા, ખાણીપીણી અને પરિવેશને પણ અપનાવ્યો છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દિલ્હીમાં ભારતીય મૂળનાં લોકોની મિની વૈશ્વિક સંસદ યોજાઈ હોય તેવું લાગે છે. આજે ભારતીય મૂળની વ્યક્તિઓમાં મોરેશિયસ, પોર્ટુગલ અને આયર્લેન્ડનાં પ્રધાનમંત્રીઓ સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય મૂળનાં લોકો અન્ય ઘણાં દેશોમાં સરકારનાં વડા અને રાજ્યનાં વડા તરીકે પણ કાર્યરત છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં દુનિયાભરમાં ભારતની છાપ બદલાઈ છે. તેનું કારણ ભારતની પોતાની કાયાપલટ છે. ભારતીયોની આશા અને આકાંક્ષાઓ અત્યારે સૌથી વધુ છે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં કાયમી ફેરફારોનાં સંકેતો જોવા મળી રહ્યા છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીઆઇઓ જ્યાં રહે છે ત્યાં ભારતનાં કાયમી રાજદૂત સમાન છે. તેઓ વિદેશ જાય છે ત્યારે ભારતીય મૂળનાં લોકોને મળવાનો પ્રયાસ હંમેશા કરે છે.

પ્રધાનમંત્રીએ વિદેશમાં વસતાં ભારતીય નાગરિકોની સમસ્યા પર બાજનજર રાખવા બદલ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે કોન્સ્યુલર ફરિયાદોનાં રિયલ ટાઇમ નિરીક્ષણ અને પ્રતિસાદ માટે "મદદ" પોર્ટલનો ઉલ્લેખ કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર માને છે કે એનઆરઆઈ ભારતનાં વિકાસમાં ભાગીદાર છે. તેમણે             જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા એક્શન એજન્ડા 2020 સુધીમાં એનઆરઆઈ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનાં મૂલ્યો અસ્થિરતાનાં યુગમાં સંપૂર્ણ વિશ્વને માર્ગદર્શન પૂરી પાડી શકે છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત આસિયાન દેશો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે થોડાં દિવસોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન જોવા મળશે.

 

NP/J.Khunt/GP                                                                                                                    


(Release ID: 1516012)
Read this release in: English