ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત

Posted On: 12 DEC 2017 2:22PM by PIB Ahmedabad

 

પોસ્ટલ પેન્શનરોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, અમદાવાદ શહેર વિભાગ, આકાશવાણી પાસે, અમદાવાદ-380009 ખાતે તારીખ. 19.12.2017 મંગળવારના રોજ સવારે 11.00 કલાકે  પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

આવી ફરિયાદો 18.12.2017 સોમવાર સુધીમાં મેનેજર શ્રી એસ.એન.દવે. પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી. આકાશવાણી પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009ને મોકલવાની રહેશે. તારીખ 18.12.2017 સોમવાર બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.

આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પુરતી મર્યાદિત રહેશે.



(Release ID: 1512233) Visitor Counter : 117


Read this release in: English