સંરક્ષણ મંત્રાલય

સંરક્ષણ મંત્રી આંદામાન અને નિકોબાર કમાન્ડની મુલાકાત લેશે

Posted On: 17 OCT 2017 4:23PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 17-10-2017

 

સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન 18 થી 19 ઓક્ટોબર, 2017ના રોજ આંદામાન અને નિકોબાર કમાન્ડની મુલાકાત લેશે. કમાન્ડની પહેલી યાત્રા પર શ્રીમતી સીતારામન સૈનિકોની સાથે દિવાળી મનાવશે અને બે દિવસમાં વિવિધ કાર્યક્રમો દરમિયાન પરિવારો સાથે વાતચીત કરશે. સંરક્ષણ મંત્રી કમાન્ડ સંચાલન ક્ષેત્ર અને વાયુ સેના સ્ટેશન, કાર-નિકોબાર જોવા જશે. શ્રીમતી સીતારામન સેલુલર જેલમાં સ્વતંત્ર જ્યોતિ પર અને કાર-નિકોબારના સુનામી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે.

 

JK/GP                        


(Release ID: 1506374)
Read this release in: English