PIB Headquarters

આકાશવાણી અમદાવાદ દ્વારા “સ્વચ્છતા હી સેવા” પખવાડીયાની ઉજવણી કરાઈ

Posted On: 04 OCT 2017 3:08PM by PIB Ahmedabad

અમદાવાદ, 04 ઓક્ટોબર, 2017

પેયજળ તેમજ સ્વચ્છતા મંત્રલાયના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આકાશવાણી અમદાવાદમાં તારીખ 15-09-2017 થી 02-10-2017 સધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની કાર્યાલયના અધ્યક્ષ શ્રી સંજયકુમાર સિંહાની આગેવાનીમાં સફળતાપૂર્વક ઉજવણી કરાઈ.

  

આ બહુઆયામી સંકલ્પ અભિયાન અંતર્ગત તારીખ 24-09-2017ને રવિવારના રોજ શ્રમદાન કાર્યક્રમ રખાયો હતો જેમાં કાર્યાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તારીખ 28-09-2017ને ગુરૂવારના રોજ કાર્યાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રખાયો હતો. તારીખ           02-10-2017ના રોજ સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું સમાપન આકાશવાણીના રહેણાંક ક્વાટર્સમાં વૃક્ષારોપણ, શ્રમદાન તેમજ પરિસરની સાફ સફાઈની સાથે થયું હતું જેમાં કાર્યાલયના કર્મચારીઓ તેમજ તેના પરિવારજનોએ એક જન આંદોલનના રૂપમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

આ અવસર પર કાર્યાલયના અધ્યક્ષ શ્રી સંજયકુમાર સિંહાએ સ્વચ્છતા સંદેશ તેમજ અભિયાનને જન આંદોલનના રૂપમાં લેવા માટે સૌનો આભાર માન્યો હતો.

 

NP/J.Khunt/GP              



(Release ID: 1504789) Visitor Counter : 158