ગૃહ મંત્રાલય

પદ્મ પુરસ્કાર – 2018 માટેના નામાંકીનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2017

Posted On: 11 SEP 2017 5:04PM by PIB Ahmedabad

પદ્મ પુરસ્કાર-2018ના નામાંકનની પ્રક્રિયા ચાલુ છે. પદ્મ પુરસ્કાર માટેના નામાંકન નોંધવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2017 છે.

પદ્મ પુરસ્કાર માટેના નામાંકન, ભલામણો ગૃહ મંત્રાલય દ્વારા ડિઝાઈન કરાયેલ પદ્મ પોર્ટલ પર માત્ર ઓનલાઈન જ કરી શકાશે, કે જે www.padmaawards.gov.in. પર ઉપલબ્ધ છે. ઓનલાઈન પોર્ટલ સાથે મોટા પ્રમાણમાં લોકો  નામાંકન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, જે 15 સપ્ટેમ્બર, 2017 (શુક્રવાર)ની મધ્યરાત્રીએ બંધ થશે.  

15 સપ્ટેમ્બર, 2017 પછી મળનારા નામાંકનો પર વિચારણા થશે નહિં.

 

NP/JK/GP                                     


(Release ID: 1502356) Visitor Counter : 189
Read this release in: English