આદિવાસી બાબતોનું મંત્રાલય

શ્રી સુદર્શન ભગતે જનજાતીય બાબતોના રાજ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો

Posted On: 04 SEP 2017 5:43PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017

 

શ્રી સુદર્શન ભગતે આજે જનજાતીય બાબતોના રાજ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. આ પહેલા શ્રી ભગત કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી હતા. આ અવસર પર શ્રી ભગતે કહ્યું કે જનજાતીય લોકોના વિકાસ માટે તેઓ ખૂબ મહેનત કરશે અને પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરશે.

http://pibphoto.nic.in/documents/rlink/2017/sep/i20179401.jpg

શ્રી ભગતનો જન્મ 20 ઓક્ટોબર, 1969ના રોજ થયો હતો. તેઓ અત્યારે લોકસભામાં ઝારખંડના લોહરદગ્ગા સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રી ભગત પંદરમી લોકસભા (2009-2014)ના પણ સભ્ય હતા. વર્ષ 2000-2005માં શ્રી ભગત ઝારખંડ વિધાનસભાના પણ સભ્ય રહ્યા હતા. શ્રી સુદર્શન ભગત ઝારખંડ સરકારમાં 2000-2003 દરમિયાન માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી અને ત્યારબાદ 2004 સુધી મુખ્યમંત્રી સચિવાલયમાં રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) રહ્યા. શ્રી ભગતે 2004-2005 દરમિયાન ઝારખંડ સરકારમાં કલ્યાણ મંત્રીના રૂપમાં પણ કાર્ય કર્યું છે. શ્રી ભગત વિવિધ સંસદીય સમિતિઓના પણ સભ્ય રહ્યા છે.

 

NP/JK/GP                                                         



(Release ID: 1501670) Visitor Counter : 122


Read this release in: English