ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપ-રાષ્ટ્રપતિએ ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યા પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 24 AUG 2017 4:56PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24 ઓગસ્ટ, 2017

 

ભારતના ઉપ-રાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં તેમણે કહ્યું આપણો દેશ ભગવાન ગણેશને વિઘ્નહર્તા, સમૃદ્ધિ અને સૌભાગ્યકર્તા પ્રતિક તરીકે માને છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ સારા કાર્ય અને પરિયોજનાના શુભારંભ પહેલા ભગવાન ગણેશના શુભ નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

ઉપ-રાષ્ટ્રપતિના સંદેશનો મૂળપાઠ આ પ્રકારે છે :

“હું ગણેશ ચતુર્થીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશના જન્મ દિવસે ઉજવવામાં આવે છે. આપણો દેશ ભગવાન ગણેશને વિઘ્નહર્તા, સમૃદ્ધિ અને સૌભાગ્ય કર્તા પ્રતિક તરીકે માને છે. દેશભરમાં કોઈપણ સારા કાર્ય અને પરિયોજનાના શુભારંભ પહેલા ભગવાન ગણેશના શુભ નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

આ પર્વ આપણા દેશમાં શાંતિ, સમૃદ્ધિ અને સૌહાર્દની સોગાદ લાવે.

 

AP/JK/GP                                                                     



(Release ID: 1500628) Visitor Counter : 134


Read this release in: English