નાગરિક ઉડ્ડયન મંત્રાલય

ભારતીય હવાઈમથક પ્રાધિકરણે ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ ઉજવી

Posted On: 11 AUG 2017 3:58PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11-08-2017

 

ભારતીય હવાઈમથક પ્રાધિકરણે ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં એક સપથ ગ્રહણ સમારોહ આયોજિત કર્યો. આ આયોજન ડૉ. ગુરુપ્રસાદ મહાપાત્ર, આઈએએસ, અધ્યક્ષ, ભારતીય હવાઈમથક પ્રાધિકરણ દ્વારા અન્ય બોર્ડ સભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવાયો. આ અવસર પર ભારતીય હવાઈમથક પ્રાધિકરણના કર્મચારીઓએ સાંપ્રદાયિકતા, જાતિવાદ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓથી દેશને મુક્ત કરવા અને વર્ષ 2022 સુધી ‘નવું ભારત’ બનાવવાની શપથ લીધી. આ આયોજન માનનીય પ્રધાનમંત્રી દ્વારા ‘સંકલ્પ થી સિદ્ધિ’ આંદોલન (2017-2022)નો એક ભાગ છે.

 

AP/J.Khunt/GP                   



(Release ID: 1499345) Visitor Counter : 97


Read this release in: English