પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રોફેસર યશપાલનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 25 JUL 2017 1:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં જાણીતા વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ પ્રોફેસર યશપાલનાં નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "યશપાલનાં નિધનથી દુઃખ થયું છે. આપણે ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ  ગુમાવ્યાં છે, જેમણે ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. ઘણાં પ્રસંગે પ્રોફેસર યશપાલ સાથે ચર્ચાવિચારણા કરવાની તક મળી હતી, જેમાં વર્ષ 2009માં ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ સામેલ છે."

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાળ કોંગ્રેસ 2009ની પ્રોફેસર યશપાલ સાથેની કેટલીક તસવીરો પણ વહેંચી હતી.

 

AP/J.Khunt


(રીલીઝ આઈડી: 1497039) મુલાકાતી સંખ્યા : 113
આ રીલીઝ વાંચો: English