ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

શ્રી પી. ગોવર્ધન રેડ્ડીના નિધન પર ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના સભાપતિએ શોક વ્યક્ત કર્યો

Posted On: 09 JUN 2017 4:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 08-06-2017

               

        ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના સભાપતિ શ્રી મોહમ્મદ હામિદ અન્સારીએ રાજ્યસભાના સભ્ય શ્રી પી. ગોવર્ધન રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સંદેશમાં તેમણે કહ્યું કે શ્રી રેડ્ડી રાજ્યસભાના એક સક્રિય અને સમ્માનિત સભ્ય હતા. તેમને તેલંગાણામાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક અથાગ પ્રયાસો માટે યાદ કરાશે.

ઉપરાષ્ટ્રપતિનો સંદેશ નીચે મુજબ છે :

        “રાજ્યસભાના સભ્ય અને વરિષ્ઠ રાજનેતા શ્રી પી. ગોવર્ધન રેડ્ડીના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. તેમનું નિધન મારા માટે એક વ્યક્તિગત ખોટ છે. શ્રી રેડ્ડી 2012 થી રાજ્યસભાના એક સક્રિય અને સમ્માનિત સભ્ય હતા. જેમણે તેમની સાથે કાર્ય કર્યું છે, તેમને તેમની ખોટ સાલસે, શ્રી રેડ્ડીને તેલંગાણામાં ખેડૂતોના કલ્યાણ માટે તેમના અથાગ પ્રયાસો માટે યાદ કરાશે.

        હું તેમના પરિવાર, મિત્રો અને સમર્થકોને પોતાની સંવેદના વ્યક્ત કરું છું અને દેશવાસીઓની સાથે મળીને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

 

AP/J.Khunt/GP                              


(Release ID: 1492394) Visitor Counter : 61
Read this release in: English