PIB Headquarters

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 22 MAY 2017 5:28PM by PIB Ahmedabad

અમદાવાદ, 22-05-2017

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રવર અધિક્ષક, ટપાલ કચેરીઓ, અમદાવાદ શહેર વિભાગની કચેરી, આકાશવાણી પાસે, અમદાવાદ-380 009 ખાતે 7-06-2017ના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડાક અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે ટપાલ, મની ઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 5-06-2017 સુધીમાં શશીકુમાર ઉત્તમ, પ્રવર અધિક્ષક, પ્રવર અધિક્ષક શ્રીની કચેરી, આકાશવાણી પાસે, આશ્રમરોડ, અમદાવાદ-380009ને મોકલવાની રહેશે. તારીખ 05-06-2017 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવાશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

આ ડાક અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પૂરતી મર્યાદિત રહેશે.

 

AP/J.Khunt/GP                                                      



(Release ID: 1490380) Visitor Counter : 134


Read this release in: English