PIB Headquarters

રાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારત સરકારના પ્રકાશન વિભાગે પણ ભાગ લીધો

Posted On: 01 MAY 2017 6:02PM by PIB Ahmedabad

અમદાવાદ, 01-05-2017

 

આજથી ૭મી મે ૨૦૧૭ દરમિયાન યુનિવર્સીટી કન્વેન્શન હોલમાં યોજનારા રાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારત સરકારના પ્રકાશન વિભાગ યોજના કાર્યાલયપણ ભાગ લીધો છે.

પ્રકાશન વિભાગ દ્વારા અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના પુસ્તકો વેચાણ માટે મુકવામાં આવેલ છે. આ પુસ્તકોમાં ખાસ કરીને આધુનિક ભારતના ઘડવૈયા સીરીઝ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, બાળ સાહિત્ય, ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક મહાનુભાવોના પુસ્તકો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત યોજના ગુજરાતી તથા યોજના અને કુરુક્ષેત્રના અંગ્રેજી અને હિન્દીના જૂના અંકો પણ ઉપલબ્ધ છે. તેમજ તેમનું લવાજમ પણ અહીં સ્વીકારવામાં આવશે.

 

AP/GP                                                             



(Release ID: 1488944) Visitor Counter : 93