કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ડીઓપીટીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓના કામકાજના કલાકો વધારવા વિશેના મીડિયા અહેવાલો નકારી કાઢ્યા

Posted On: 18 APR 2017 5:24PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 18-04-2017

 

ભારત સરકારના પર્સનલ, પબ્લિક ગ્રિવન્સીસ અને પેન્શન્સ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના કામકાજના કલાકો વધારવા વિશેના મીડિયા અહેવાલો પર ધ્યાન દોરવામાં આવ્યું છે. આ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના કામકાજના કલાકો બદલીને સવારે 09.00થી સાંજના 7.00 સુધી કરવામાં આવશે. તેમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે શનિવારની રજા પણ રદ કરવામાં આવશે.

આ સંબંધમાં ડીઓપીટીએ સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઈ દરખાસ્ત પર વિચારણા કરતી નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કામકાજના કલાકો વધારવા અને શનિવારની રજા રદ કરવા વિશેના સમાચારો ખોટા અને પાયાવિહોણા છે. આ સંબંધમાં મૌખિક કે લેખિત ઓર્ડર ઇશ્યૂ થયા નથી.

AP/J.Khunt/GP              



(Release ID: 1488137) Visitor Counter : 112


Read this release in: English