રાષ્ટ્રપતિ સચિવાલય
રામનવમી નિમિત્તે રાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
03 APR 2017 5:41PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 03-04-2017
ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ રામનવમીએ પાઠવેલા સંદેશમાં જણાવ્યુ છે કે,
“રામનવમીના પાવન પર્વ પર હું મારા તમામ ભારત અને વિદેશમાંના સૌ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું.
ભગવાન રામ ઉચ્ચ મુલ્ય ધરાવતા હતા. તેમના ઉદાહરણો સારા કાર્યો માટે પથદર્શક બનવામાં આપણને સહાયરૂપ થઈ શકે એમ છે. આ પર્વની ઉજવણી આપણા લોકોને એક કરશે અને લોકોના હૃદય અને મનમાં એકતાનું વાતાવરણ ઉભું કરશે. આ દિવસે આપણે આપણી માતૃભૂમિની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રણ લેવા જોઈએ.”
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1486543)
आगंतुक पटल : 101
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English