પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નમામી બ્રહ્મપુત્રા મહોત્સવ માટે તેમની શુભકામના પાઠવી

Posted On: 31 MAR 2017 4:44PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 31-03-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમામી બ્રહ્મપુત્રા મહોત્સવ માટે તેમની હાર્દિક શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આસામ સરકાર દ્વારા શરૂ કરાયેલો નમામી બ્રહ્મપુત્રા મહોત્સવ ખૂબજ ગર્વ લેવાની બાબત છે.

બ્રહ્મપુત્રા આસામ અને ઉત્તરપૂર્વિય પ્રાંતની જીવાદોરી છે અને તે પ્રાંતના લોકો માટે રોજી રોટીનો સ્ત્રોત છે.

ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં નદીઓની ભૂમિકા કેન્દ્ર સ્થાને છે. ચાલો આપણે ભારતના વિકાસ માટે નદીઓને સ્વચ્છ રાખવાની ખાતરી માટે સાથે મળીને કામ કરીએ.

નમામી બ્રહ્મપુત્રા માટેની વધુ વિગતો અત્રે મળી શકશે. http://namamibrahmaputra.com"

 

AP/J.Khunt/GP                                                                                                     


(Release ID: 1486339)
Read this release in: English