PIB Headquarters
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
15 MAR 2017 5:09PM by PIB Ahmedabad
અમદાવાદ, 15-03-2017
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્તર જનરલ, વડોદરા રીજીયનની કચેરી, ડાક ભવન, પવનવીર એપાર્ટમેન્ટ સામે, પ્રતાપગંજ, વડોદરા – 390002. ખાતે તારીખ 05-04-2017ને બુધવારના રોજ 11-00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ-વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતી અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા અંગે અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો સુશ્રી વી. એ. તારે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ, પોસ્ટ માસ્તર જનરલની કચેરી, પ્રતાપગંજ, વડોદરા – 390002ના સરનામે મોડામાં મોડી તા. 24-03-2017 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિં.
AP/J.Khunt/GP ક્રમાંક : 134
(Release ID: 1484428)
Visitor Counter : 149